માત્ર 21 વર્ષના યુવકે પોતાની વાડીએ જઈને વડના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને અ ગમ્યા કારણોસર પોતાની વાડીએ જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

આ સુસાઈડની ઘટના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામમાંથી સામે આવી રહી છે. અહીં ગામમાં રહેતો કાનાભાઈ ભુરાભાઈ શામળા નામના 21 વર્ષના યુવકે પોતાની વાડીએ જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર યુવકના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, કાનાનો મગજ બહુ ચંચળ હતો અને તે નાની નાની વાતમાં ખૂબ જ ગુસ્સામાં આવી જતો હતો. જેના કારણે તે ઘરે ન રહેતો હતો અને અવારનવાર ગુમ રહેતો હતો.

ત્યારે ગઈકાલે કાનાએ પોતાની વાડીએ જઈને વડના ઝાડ ઉપર ગળાફાંસો ખાઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. કાનો રાત્રે ઘરેથી વાડીએ જવા માટે નીકળ્યો હતો. પછી તેના કાકા પોપટભાઈ વાડીએ જવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમને પોતાના ભત્રીજાને વાડીએ વડના ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનો અને ગામના લોકોને કરવામાં આવી હતી. પછી કાનાને નીચે ઉતારીને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*