પિતા વગરના 20 વર્ષના દીકરાએ પોતાના જન્મદિવસના દિવસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવું – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 4:39 pm, Thu, 30 June 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક 20 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવવી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવકે પોતાના જન્મદિવસના દિવસે આ પગલું ભર્યું હતું. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના ઈન્દોરમાં બની હતી. અહીં એક પ્રાઇવેટ કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે તેના જ જન્મદિવસના દિવસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર યોગ્ય આ પગલું તેના જ ઘરે ભર્યું હતું. આજના સમય માતા ઘરે આવી ત્યારે દીકરાએ દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ મૃતક યુવકના કાકાએ દરવાજો તોડ્યો અને અંદર ગયા ત્યારે અંદરથી યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યો યુવકને ત્યાંથી નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ અભિજીત હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. અભિજીત એક ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. બુધવારના રોજ અભિજીતનો જન્મદિવસ હતો. અભિજીતે પોતાના જન્મદિવસના દિવસે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

સાંજના સમયે જ્યારે અભિજીતની માતા ઘરે આવી ત્યારે અભિજીતે ઘરનો દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ પિતરાઈ ભાઈ દરવાજો તોડ્યો ત્યારે ઘરમાંથી લટકતી હાલતમાં અભિજીતનું મૃતદે મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા અભિજીતના પિતાનું અવસાન 2021 માં થયું હતું. સમગ્ર ઘટનાને લઈને અભિજીતના મિત્રએ જણાવ્યું કે, બપોરના સમયે તે મારી સાથે ફરતો હતો. થોડાક સમય પછી તેણે કહ્યું કે તેની તબિયત સારી નથી.

તેથી તે ઘરે જઈને સુવા માંગે છે. ત્યારબાદ તે ઘરે ચાલ્યો ગયો હતો. અભિજીતે આ પગલું ભર્યું ત્યારે તેની માતા ઘરે ન હતી. અભિજીતે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતા વગરના 20 વર્ષના દીકરાએ પોતાના જન્મદિવસના દિવસે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવું – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*