માત્ર 14 વર્ષની માસુમ દીકરીએ પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધું, જાણો એવું તો શું થયું હશે…અંતિમયાત્રામાં દીકરીના માતા-પિતા ચોધાર આંસુએ રડી પડ્યા..!

Published on: 11:53 am, Fri, 23 September 22

મિત્રો છેલ્લા થોડાક દિવસોથી નાની ઉંમરના વયના બાળકોની જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે જામનગરમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલા તાલુકાના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે, શિક્ષકે આપેલું લેસન ન કર્યું હોવાના કારણે શિક્ષકે બાળકીને ઠપકો આપ્યો હતો જેના કારણે તેને આ પગલું ભર્યું છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જામનગર જિલ્લાના મૂળ લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામની વતની અને હાલમાં ધ્રોલા નજીક ખરવા ગામ પાસે આવેલી ગણેશ વિધા સંકુલમાં રહીને અભ્યાસ કરતી મહેશ્વરીબા સંજયસિંહ જાડેજા નામની માત્ર 14 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં પંખામાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ દીકરીના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ દીકરી ના પિતા તાત્કાલિક વિધા સંકુલ પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને તથા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે દીકરીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દીકરીના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, મહેશ્વરીબાને શિક્ષકે લેશન આપ્યું હતું, જે લેશન પૂર્ણ ન થવાના કારણે શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો.

આ વાતનું દીકરીને ખૂબ જ ખોટું લાગી ગયું અને તેને આ પગલું ભરી લીધી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરી છે. માત્ર 14 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં દીકરીના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર 14 વર્ષની માસુમ દીકરીએ પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધું, જાણો એવું તો શું થયું હશે…અંતિમયાત્રામાં દીકરીના માતા-પિતા ચોધાર આંસુએ રડી પડ્યા..!"

Leave a comment

Your email address will not be published.


*