હાસ્ય કલાકાર “માયાભાઈ આહીર”એ પોતાના ગામની ગૌશાળાની લીધી મુલાકાત અને… જુઓ વાયરલ વીડિયો

ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ના આજે સમગ્ર દુનિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેમના કાર્યક્રમો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં તેમની વાતો અને હાસ્ય રસને માણવા માટે તેમના ચાહકો ભેગા થતા હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ માયાભાઈ આહીર સાહિત્ય ક્ષેત્ર અને હાસ્ય ક્ષેત્ર સાથે સાથે સમાજ સેવાના કાર્ય સાથે પણ હંમેશા જોડાયેલા રહે છે અને અનેકવાર ગરીબો જરૂરીયાતમંદ અને સામાજિક કાર્યોમાં મદદરૂપ થતા જોવા મળે છે. કલાકાર ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ માયાભાઈ આહીર હંમેશા પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને સરળતાથી જોડાયેલા રહે છે

આ કારણથી જ આજે તેઓ લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આજના સમયમાં માયાભાઈ આહીર સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સતત આગળ વધી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની ગર્વ અપાવી રહ્યા છે આ કારણથી જ તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે.