ગણેશ ચતુર્થી નિમિત્તે ખજૂર ભાઈએ પોતાના સમગ્ર પરિવાર સાથે ગણપતિની કરી મહાપૂજા

સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં લોક સેવક તરીકે જાણીતા નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવા કાર્ય સાથે જોડાયેલા રહે છે તેને અત્યાર સુધી અનેક ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરી લોક સેવાનું ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યું છે તેઓ અવારનવાર અનેક વીડિયો અને તસ્વીરો દ્વારા સેવાનો સંદેશો લોકો સુધી પહોંચાડતા જોવા મળે છે તથા પૂર દુષ્કાળ ભૂકંપ જેવી સ્થિતિમાં પણ હંમેશા લોકોની સાથે ઊભા રહી તેમની મદદ કરે છે આ કારણથી જ આજે તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ખજૂર ભાઈ ના ચાહકો આજે સમગ્ર વિશ્વમાં રહેલા છે જે તેમને દરેક સેવા કાર્યમાં ખુબ જ સાથ સહકાર અને પ્રેમ આપતા જોવા મળે છે આ સાથે જ તેમની આવકનો મોટેભાગે ગરીબ અને જરૂરિયાતમંદની મદદ પાછળ ખર્ચ કરતા હોય છે તથા લાખો લોકો સુધી સેવા કાર્યની પ્રેરણા પહોંચાડે છે.