64 વર્ષના રામ ભક્તે અયોધ્યા રામ મંદિર માટે એવો ત્યાગ કર્યો કે તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો

આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્યથી અધી ભવ્ય અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે અને લાખો ભારતવાસીઓની આતુરતાનો અંત આવશે આ મહોત્સવ એક ઉત્સવની જેમ ઉજવવામાં આવશે આ મહોત્સવ માટે લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ જાતની અગવડ ના પડે અને અત્યારથી જ આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો તથા સ્વયંસેવકો પોતાનું યોગદાન સમર્પિત કરશે આવા તો કેટલાય ભક્તોએ રામ મંદિર માટે પોતાનો ત્યાગ ભક્તિ સમર્પણ કરી છે.