નવરાત્રી ની મજા બગાડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી

હાલ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યા છે જેમાં અનેક નાના મોટા શહેરોમાં પૂરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું પરંતુ બચાવ કામગીરી ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા હાલમાં તો મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેવા દ્રશ્ય ઊભા થયા છે. આ માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી આ અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી વરસાદને લઈને વ્યક્ત કરી છે જેને લઈને તમામ ગરબાના ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. આપને જણાવી દઈએ કે હવે નવરાત્રી માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં તમામ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા હોય છે પરંતુ આ વખતે આ તમામ તહેવારોની મજા બગડી શકે છે.