ભગવાનને રાજી કરવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી પરંતુ… મણીધર બાપુએ કહી સૌથી મોટી વાત

હાલમાં જ કચ્છમાં આવેલા માં મોગલ નું મંદિર એટલે કે કબરાઉ ધામમાં બિરાજમાન ગાદીપતિ મણીધર બાપુએ વ્રત ઉપવાસ ભગવાન પ્રત્યેની આસ્થાને લઈ ખૂબ જ સુંદર મજાની વાત કરી હતી જે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. આજે માં મોગલના આ કબરાઉ ધામમાં દેશ વિદેશથી તમામ ભક્તો માં મોગલના દર્શન કરવા માટે પધારે છે પોતાના દ્વારા આવેલા કોઈપણ ભક્તોને મા મોગલ નિરાશ થવા દેતી નથી અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. દરેક ભક્તોને મા મોગલ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા રહેલી છે. આ કારણથી જ અહીં દર મંગળવારે અને રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિરમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી માત્ર માતાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી દરેક મનોકામના પૂરી થાય છે.

અહીંના ગાદીપતિ મણીધર બાપુ પણ એક પણ રૂપિયાનો સ્વીકાર કરતા નથી પરંતુ તે રૂપિયા દીકરી અને બહેનને આપે છે અથવા ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરવા માટેનું કહે છે. મણીધર બાપુ અનેક વાર કહેતા હોય છે કે મા તો માત્ર ભાવની ભૂખી છે. તમારું ધન જો બેન અથવા દીકરીને આપશો તો માં મોગલ વધારે રાજી થશે અને તમને આશીર્વાદ આપશે. આ સાથે બાપુએ હજુ એક સુંદર મજાની વાત કરી હતી.