રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીઓ વચ્ચે વડોદરા બોટ દુર્ઘટના એ ગુજરાતને હચમચાવી દીધું… ધ્રુજતા બાળકો અને રડતા વાલીઓને જોઈને હૈયુ કંપી ઉઠશે…

વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. ગુજરાતમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેવામાં ગઈકાલે વડોદરામાં બોટ દુર્ઘટના બનતા જ લોકોની ખુશીઓમાં માતમ છવાયો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, વડોદરામાં હરણી તળાવમાં બાળકોથી ભરેલી એક બોટ પલટી ખાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 માસુમ બાળકો અને બે શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ હચમચાવી દેનારી ઘટનાની કેટલીક તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મિત્રો આ ઘટનામાં બચી ગયેલા ધ્રુજતા બાળકો અને હૈયાફાટ રૂદન કરતા વાલીઓને જોઈને તમારું હૃદય પણ કંપી ઉઠશે.

કહેવામાં આવી રહ્યું છે કે, બોટમાં તેની ક્ષમતા કરતા પણ વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા ન હતા. મોરબી બાદ હવે વડોદરામાં થોડાક પૈસા કમાવાની લાલચમાં માસુમનો જીવ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*