22 જાન્યુઆરીને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય… આટલા વાગ્યા સુધી સરકારી…

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યના મોટા મોટા શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

એટલું જ નહીં પરંતુ કેટલાક શહેરમાં હતો 22 જાન્યુઆરીના રોજ રજાનું એલાન પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારે 22 જાન્યુઆરીને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે.

મિત્રો તમને જણાવી દે કે, ગુજરાત સરકાર દ્વારા 22 જાન્યુઆરી એટલે કે સોમવારના રોજ સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નો રૂડો અવસર છે. જેથી ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે કે, સમગ્ર રાજ્ય તથા દેશમાં 22 તારીખના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે.

રાજ્યના તમામ લોકો આ ઉજવણીનો ભાગ લઈ શકે તે હેતુસર 22 તારીખ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરે 2:30 સુધી બંધ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*