વડોદરા બોટ દુર્ઘટનામાં 15 બાળકો અને 2 શિક્ષકોના દર્દનાક મોત… હોસ્પિટલમાં માતા-પિતાનું હૈયાફાટ રુદન…

વડોદરામાં બનેલી દુર્ઘટના એ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા 17 લોકોના મોત થયા છે. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ન્યુ સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવ આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં બોર્ડિંગ દરમ્યાન બોટની ક્ષમતા કરતા તેમાં વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા.

જેના કારણે બોટનું બેલેન્સ બગડ્યું હતું અને બોટ તળાવમાં પલટી ખાઈ ગઈ હતી જેના કારણે આ હચમચાવી દેનારી ઘટના બની છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ તરત જ બાળકોના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

અહીં મૃત્યુ પામેલા માસુમ બાળકોના માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ત્યારે એવા દ્રશ્યો સર્જાયા કે, બાળકોના માતા-પિતાને જોઈને આજુબાજુ ઉભેલા લોકોના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

મિત્રો જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનાને લઈને 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્કૂલના પ્રિન્સિપલના ઘરની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે. કમાવાની લાલચમાં માસુમ બાળકોનો જીવ આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*