રામ ભક્તોએ મળીને અયોધ્યા નગરીને એવી શણગારી કે… વીડિયો જોઈને તમે પણ બોલશો જય શ્રી રામ…

શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ તેમ દેશના રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં દેશના અનેક રાજ્યોમાં મોટા મોટા શહેર શણગારવામાં આવ્યા છે.

ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ આવે તે પહેલા તો રામ ભક્તોએ મળીને અયોધ્યા નગરીને એવી શણગારી નાખી છે કે જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. અયોધ્યા નગરીમાં ઘણી જગ્યાએ અનોખી રંગોળી, ઘણી જગ્યાએ દિવાલ પર સુંદર પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે.

જેના કેટલાક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વિડિયો પ્લેટફોર્મ એક્સ પર અલગ અલગ લોકો દ્વારા શેર કરવામાં આવ્યા છે. અયોધ્યા નગરીમાં રસ્તા પર બનાવવામાં આવેલી રંગોળી, પ્રભુ શ્રીરામની પ્રતિમા, માટીમાંથી બનાવવામાં આવેલ રામ મંદિર, દિવાલ પર પ્રભુ શ્રીરામની સુંદર પેઇન્ટિંગ જોવા મળી રહે છે.

જેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો જોઈને લોકોનું દિલ ખુશ થઈ ગયું છે અને લોકો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*