રાજકોટમાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો… પછી પોતાના દીકરાને ફોન કરીને કંઈક એવું કહ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 55 વર્ષની મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ પતિએ લીધો છે. આ ઘટના રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના સર્વોદય સોસાયટીમાં આવેલ ગોવિંદ નગરમાં બની હતી.

શુક્રવારના રોજ કમળાબેન અને તેમના પતિ પ્રેમજીભાઈ પરમાર વચ્ચે કોઈ બાબતને લઈને બોલા ચાલી થઈ ગઈ હતી. ઝઘડો એટલો વધી ગયો કે, ગુસ્સામાં ભરાયેલા પ્રેમજીભાઈએ પોતાની પત્ની પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં કમળાબેનના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર પછી પ્રેમજીભાઈ પોતાના મોટા દીકરાને ફોન કરીને કહ્યું કે, મેં તારી માનો જીવ લઇ લીધો છે તેમ કહીને પ્રેમથી ભાવે ફોન કાપી નાખ્યો.

ત્યારબાદ પ્રેમજીભાઈ ઘરમાં તાળું મારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પછી કમળાબેનના દીકરાઓ ત્યાં પહોંચી આવ્યા હતા અને ઘરનું તાળું ખોલીને અંદર જોઈને જોયું ત્યારે કમળાબેન બેભાન હાલતમાં ત્યાં જોવા મળ્યા હતા.

પછી 108ની મદદથી તાત્કાલિક કમળાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પછી બેભાન હાલતમાં તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ સાથે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*