સુરતમાં વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપાડતા પરિવારના મોભીનું કરુણ મોત… બે દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

સુરત શહેરમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 45 વર્ષના વ્યક્તિનું અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ કરુણ મોત થયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યો વ્યક્તિને લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરી રહ્યા હતા.મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પુરુષોત્તમભાઈ ચંદ્રપાલભાઈ પાંડે હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. પુરુષોત્તમભાઈ મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા સનાતન નગરમાં રહેતા હતા.

તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. પુરુષોત્તમભાઈ એક પ્રિન્ટિંગ મિલમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.મળતી માહિતી અનુસાર પુરુષોત્તમભાઈ ને સવારે 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

તેમને છાતીમાં દુખાવો થાય છે આ વાતની જાણ તેમને પોતાના દીકરાને કરી હતી. ત્યાર પછી તો પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા તો પુરુષોત્તમભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો અને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પછી 108ની મદદ થી સિવિલ હોસ્પિટલમાં પુરુષોત્તમભાઈ ને લઈ જવામાં આવ્યા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા પુરુષોત્તમભાઈની તપાસ કરવામાં આવી હતી અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પુરષોત્તમભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં માતમ છવાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પુરુષોત્તમભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*