રાજકોટમાં 4 બાળકોના પિતાનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… રાત્રે સુતા પછી સવારે જાગ્યા જ નહીં…

ગુજરાતમાં બનેલી વધુ એક હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે. મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં સુરત અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલો વધુ એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં ગઈકાલે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

મળતી માહિતી અનુસાર ભગવતી પરામાં સ્વામિનારાયણ ડેરી પાસે રહેતા એક વ્યક્તિ રાત્રે પોતાના ઘરમાં સુતા હતા. ત્યાર પછી તેઓ બીજા દિવસે સવારે જાગ્યા જ નહીં. એટલે પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં સારવાર મળે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ભગવતી પરામાં સ્વામિનારાયણ ડેરી પાસે રહેતા 45 વર્ષના વશરામભાઈ મોહનભાઈ ધાંધુડિયા નામના વ્યક્તિ ગઈ કાલે રાત્રે પોતાના ઘરમાં સુતા હતા.

સવાર થઈ ગઈ એટલે વશરામભાઈ જાગ્યા જ નહીં એટલે પરિવારના સભ્યોએ તેમને જગાડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ જાગ્યા નહીં. પછી વશરામભાઈને તાત્કાલિક 108 ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે વશરામભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

વશરામભાઈના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હરિયાફાટ રુદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી.

ત્યારબાદ વશરામભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે વશરામભાઈ ને સંતાનમાં બે દીકરાઓ અને બે દીકરીઓ છે. આ ઘટના બનતા જ ચાર સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*