પાટણમાં વહેલી સવારે ઊઠીને બાથરૂમમાં ન્હાવા જતા વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યા છે. પાટણમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

પાટણના ખોખરવાડામાં એક યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટનાની જાણ થતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાર્ટ એટેક આવવાના કારણે મોત થનાર વ્યક્તિનું નામ રાજુભાઈ પ્રજાપતિ હતું અને તેમની ઉંમર 41 વર્ષની હતી.

રાજુભાઈ પ્રજાપતિ પાટણના ખોખરવાડા વિસ્તારમાં આવેલી રામની શેરીમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર 41 વર્ષના રાજુભાઈ દરરોજની જેમ વહેલી સવારે ઊઠીને બાથરૂમમાં ન્હાવા માટે જતા હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી રાજુભાઈનું મોત થઈ ગયું હતું.

મૃત્યુ પામેલા રાજુભાઈ પ્રજાપતિ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેવામાં અચાનક જ રાજુભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો સહિત તેમના સમાજ માતમ છવાઈ ગયો હતો.

રાજ્યમાં સતત વધતી હાર્ટ એટેક ની ઘટનાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. હાલમાં તો નવરાત્રી ચાલી રહે છે. નવરાત્રીમાં હાર્ટ એટેક આવવાના બનાવો વધતા હોય છે.

ત્યારે દરેક લોકોને સલાહ સૂચન છે કે, ગરબા છાતીમાં દબાણ અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે તો ગરબા રમવાનું બંધ કરી દેવું અને આરામ કરી લેવો અને એવું લાગે તો તરત જ ડોક્ટર પાસે જતું રહેવું. આ ઉપરાંત ફૂલ પેટ જમીને ગરબા ન લેવા. જેમ બને તેમ પાણી પીવાનો આગ્રહ વધારે રાખો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*