સુરત શહેરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક 26 વર્ષની યુવતીએ સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીએ બપોરના સમયે જ્યારે ઘરે કોઈ ન હતું. ત્યારે સુસાઇડ કરી લીધું હતું.
ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. યુવતીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર પારિવારિક ઝઘડાના કારણે યુવતીએ સુસાઇડ કરી લીધું છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુસાઇડ કરનાર યુવતીના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા.
અચાનક જ તેને બપોરના સમયે અગમ્યા કારણોસર સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે અને યુવતીના સુસાઇડ પાછળનું કારણ જાણવાની પણ કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment