દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ ઘટના બનતા જ તેમના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
ત્યાર પછી પતિ-પત્નીના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ દુઃખદ ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 11 ઓક્ટોબર બુધવારના રોજ તુલસીરામ સહુ નામના વ્યક્તિનું બપોરના સમયે દુઃખદ નિધન થયું હતું. તેમનો દીકરો વિદેશમાં રહે છે, એટલે પરિવારના સભ્યોએ ગુરુવારે તુલસીરામ સાહુંના ગુરૂવારના રોજ અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન મૃત્યુ પામેલા તુલસીરામની પત્ની સુખમા બાઈની અચાનક જ તબિયત બગડવા લાગી હતી.
એટલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને પણ મૃત જાહેર કર્યા હતા. પેલા પતિ અને પછી પત્નીનું મોત થતા જ એમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ગુરૂવારના રોજ તેમનો દીકરો વિદેશથી પરત ફર્યો પછી માતા-પિતાના એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે ત્રણેય દીકરાઓએ માતા-પિતાને અંતિમ સંસ્કાર અર્પણ કર્યા હતા. ઉપરાંત જ્યારે પતિ-પત્નીની એક સાથે અંતિમયાત્રા નીકળી ત્યારે આખું ગામ અંતિમયાત્રામાં જોડાયું હતું અને અંતિમયાત્રામાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment