દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 12 વર્ષની માસુમ બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે, આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો 12 વર્ષની બાળકી તળાવમાં નહાવા માટે ગઈ હતી.
આ દરમિયાન બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું કરુણ મોત થયું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ રાજનંદા હતું અને તેની ઉંમર 12 વર્ષની હતી.
આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે દીકરી અને પડોશના કેટલાક લોકો ગામમાં સ્થિત મહારાણી થાન મંદિરમાં પૂજા કરવા માટે ગયા હતા. પૂજા કરતી વખતે બધા લોકો નજીકમાં આવેલા તળાવમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન 12 વર્ષની દીકરી પણ તળાવમાં ઉતરી હતી.
ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો, જેના કારણે તે ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને બાળકીને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
પરંતુ ત્યાં સુધીમાં તો પાણીમાં ડૂબી જવાના કારણે બાળકીનું કરુણ મોત થયું હતું. ત્યારબાદ બાળકીને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેને ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
માત્ર 12 વર્ષના દીકરીના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment