ઘરના આંગણામાં રમી રહેલા બે કૌટુંબિક ભાઈઓને એવું દર્દનાક મોત… ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દાહોદ જિલ્લામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. દાવોજ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે બે કૌટુંબિક ભાઈઓના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે જાણવા મળી રહ્યું છે કે સાત વર્ષના બંને ભાઈઓ ઘરના આંગણામાં રમી રહ્યા હતા.

રમતા રમતા બંને પાણીની ટાંકીમાં નીચે નહાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન પગ લપસતા જ તેઓ બાજુમાં આવેલા એક કુવાની અંદર પડી ગયા હતા. કુવાનું પાણી ઊંડું હોવાના કારણે બંને બાળકોનું પાણીમાં ડૂબી જવાના કારણે રિબાઈ રિબાઈને મોત થયું.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના બનતા જ મૃતક બાળકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગઈ 11 તારીખના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગામમાં રહેતા બે કૌટુંબિક ભાઈઓ એક સાથે ઘરના આંગણામાં રમી રહ્યા હતા. આ દરમિયાન બંને આકસ્મિક રીતે કુવામાં પડી ગયા હતા.

ત્યારબાદ બંને બાળકોએ બુમાબુમ કરી હતી. જેના કારણે બંને બાળકોના પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પછી પરિવારના સભ્યોએ સ્થાનિક લોકોની મદદ થી બંને બાળકોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો બંને બાળકનું મોત થઈ ગયું હતું આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*