સરકારી ઓફિસમાં નોકરી કરતી મહિલા કર્મચારીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની અને જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

વિગતવાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાબાના સાથળ ગામે આરોગ્ય વિભાગની ઓફિસમાં એક મહિલા કર્મચારીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ધોળકા ડીવાયએસપી દ્વારા ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે, સુસાઈડ કરનાર મહિલાનું નામ કિરણબેન હતું અને તેઓ પોતે મૂળ ચાચરાવાડી વાસણાના વતની હતી. તેમના લગ્ન આંબારેલી ગામે થયા હતા. કિરણબેન આરોગ્ય વિભાગની ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝપર CHO તરીકે ફરજ બજાવતા હતા.

મળતી માહિતી અનુસાર કિરણ બેને અગમ્યા કારણોસર સરકારી કચેરીમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. કિરણ બેને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

ઘટના બનતા જ કિરણબેનના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કિરણબેનના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*