ઘરમાં કામ કરતી મહિલા સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… 3 નાના-નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાપ કરડવાના કારણે એક મહિલાનું મોત થયું છે. સૌપ્રથમ મહિલાની તબિયત બગડી ગઈ હતી એટલે તેને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ સાથે પહોંચી આવી હતી. ત્યારબાદ મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના હરિયાણાના કરનાલમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલી મહિલાના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં ત્રણ નાના નાના બાળકો છે. આ ઘટના બનતા જ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલી મહિલાનું નામ મનીષા હતું. મનીષા ના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા.

આજરોજ મનીષા જ્યારે ઘરમાં કામ કરી રહી હતી. ત્યારે અચાનક જ એક ઝેરીલા સાપે મહિલાની આંગળીમાં ડંખ માર્યો હતો. ત્યારે મહિલાને એવું લાગ્યું કે તેને કંઈક વાગ્યું છે. એટલે મહિલાએ આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું અને પોતાના કામમાં લાગી ગઈ.

ત્યારબાદ મહિલા અને ચક્કર આવવા લાગ્યા હતા અને તે ઘરના ખાટલામાં જઈને સૂઈ ગઈ હતી. પછી પરિવારના સભ્યો મહિલાને સારવાર માટે મેડિકલ કોલેજ લઈ ગયા હતા. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા તો મહિલાનું કરુણ મોત થઈ ગયું હતું.

મનીષાના મૃત્યુના કારણે બે દીકરાઓ અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ મનીષાના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*