જામનગરમાં ઝડપી ટ્રક ચાલકે બાઈક પર સવાર 2 યુવકોને કચડી નાખ્યા… બંનેનું એક સાથે દર્દનાક મોત…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જામનગરના ગોકુળ નગર નજીક આવેલ સાંઢીયા પુલ પર એક ટ્રક ચાલકે બાઈક પર જતા બે યુવાનોને અડફેટેમાં લીધા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેને કરુણ મોત થયા છે. બંનેના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સાંજના સમયે બની હતી.

ઉદયરાજ રાઠોડ અને મીત સંઘાણી નામના બે યુવકોનું આ અકસ્માતની ઘટનામાં મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, બંને યુવકો બાયક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચાલકે બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઉદયરાજ અને મીત બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

બંનેના મોતના સમાચાર મળે તો આજ બંનેના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*