જૂનાગઢમાં પરિણીત મહિલાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

ગુજરાત રાજ્યમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટના ગઈકાલે જૂનાગઢમાં બની હતી. જુનાગઢના સરગવાડા ગામે સાસરે રહેતી જાગૃતીબેન ભરતભાઈ વધેરા નામની મહિલાએ તેમના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.

આ બનાવવાની જાણ થતા જ પરિવારના સભ્યો જાગૃતિબેનને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં જાગૃતીબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પિયર પક્ષના લોકોએ સાસરીયા વિરુદ્ધ દુષ્પપ્રેરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે જાગૃતિબેને તેના પતિ ભરત વધેરા, સસરા જગદીશ વધેરા, સાસુ અને દિયરના ત્રાસથી કંટાળીને સુસાઇડ જેવું પગલું ભરી લીધું છે તેવું પિયર પક્ષના લોકોનું કહેવું છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિયર પક્ષની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જાણવા મળી રહ્યું છે કે પોલીસે સાસરીયા પક્ષના ત્રણ લોકોને પકડી પાડ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગઈકાલે જાગૃતિબેન પોતાના સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ જાગૃતીબેનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*