સુરતમાં સાયકલ લઈને નોકરી પર જતા વ્યક્તિને ટેન્કર ચાલકે કચડી નાખ્યા… 6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતના સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આજરોજ વહેલી સવારે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નોકરી પર જતા એક વ્યક્તિને ટેન્કર ચાલકે અડફેટેમાં લીધા હતા. જેના કારણે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું કરુણ મોત થયું હતું.

આ ઘટના બનતા જ 6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એક ટેન્કર ચાલકની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રામસજીવન હૃદયનારાયણ નિષાદ હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી. તેઓ મૂળ ઉત્તર પ્રદેશ અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં આવેલ શિવનગર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા.

તેઓ પાંડેસરા ભક્તિનગર ખાતે પાવરલુમ્સના ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, બે દીકરાઓ અને ચાર દીકરીઓ છે. આજ રોજ સવારે રામસજીવન ઘરેથી સાયકલ લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન પાંડેસરામાં સિદ્ધાર્થ નગર ચોકડી પાસે એક ઝડપી ટેન્કર ચાલકે તેમની સાયકલને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાં સુધીમાં તો ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં રામસજીવન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ મૃતક વ્યક્તિના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ટેન્કર ચાલકની બેદરકારીના કારણે છ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*