43 વર્ષના પ્રેમીએ પોતાની 28 વર્ષની પ્રેમિકાનો જીવ લઈ લીધો, પછી તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં આપણે એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક 28 વર્ષની યુવતીના જીવ લેવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે, આરોપીએ સૌપ્રથમ યુવતીને પાણીમાં ડુબાડીને તેનો જીવ લઈ લીધો હતો.

ત્યારબાદ યુવતીના મૃતદેહને એક સૂટકેસમાં ભરીને ગુજરાત રાજ્યના વલસાડમાં એક ખાડીમાં ફેંકી દીધું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં આરોપીને તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે આરોપી યુવક અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે.

આ ચોકાવનારી ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાંથી સામે આવી રહી છે. ઘટનાના આરોપીની ઓળખ મનોહર શુક્લા તરીકે થઈ છે. તે મુંબઈમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરે છે. મનહર શુક્લા નયના મહત નામની યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતો. યુવતી મેકપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, નહીં મનોહરને લગ્ન માટે દબાણ કરતી હતી. પરંતુ મનોહર લગ્ન કરવા માટે ઇનકાર કરતો હતો. ત્યાર પછી નયના એ મનોહર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મનોહરે નયના ને કેસ પાછો ખેંચવાનું કહ્યું હતું. પરંતુ નયના કેસ પાછો ખેંચવા માગતી નથી, જેથી મનોહરે તેનો જીવ લઇ લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 9 થી 12 ઓગસ્ટની વચ્ચે બની હતી. 12 ઓગસ્ટના રોજ નયનાની બહેને તેને ફોન કર્યો હતો. બહેને અનેક ફોન કર્યા પરંતુ નયના ફોન ઉપાડતી નથી. ત્યારે બેહેને મનોહરને આ વિશે પૂછ્યું હતું. ત્યારે મનહરે જણાવ્યું કે નયનાનો ફોન બગડી ગયો છે. પરંતુ બીજા દિવસે નહીં નાનું સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારનું અપડેટ તેની બહેને ન જોયું એટલે તેને શંકા ગઈ હતી. ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ બેહેને પોલીસ સ્ટેશનમાં નયનાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર ઘટના ને લઈને પોલીસે જણાવ્યું કે, તે લોકોએ મનોહરની પૂછપરછ કરી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ વલસાડ પહોંચી હતી અહીં ખાડામાંથી સૂટકેસ બહાર કાઢી હતી અને તેમાંથી નયનાનું મૃતદે બહાર કાઢીને તેના અગ્નિસંસ્કાર કર્યા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી મનોહર અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*