બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 3 લોકોના દર્દનાક મોત… હસતા-ખેલતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

દેશભરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને મોટેભાગની અકસ્માતની ઘટનાઓ વધારે સ્પીડના કારણે બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે બાઈક વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થતા રુવાડા ઉભા કરી દેનારો ભયંકર અકસ્માત બન્યો હતો. અકસ્માતની ઘટનામાં બે સાઢુભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા છે.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ બાઈક પર સવાર લોકોનું માથું ડિવાઈડર સાથે અથડાયું હતું. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી દીધા છે.

આ ઘટના બનતા જ ત્રણેય મૃતકોના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ભયંકર અકસ્માતની ઘટના ઝાંસી-ખજૂરહો હાઇવે ઉપર બની હતી. વિગતવાર વાત કરે તો અકસ્માતની ઘટનામાં, 50 વર્ષીય ચંદન પ્રજાપતિ અને 55 વર્ષીય જુગલ પ્રજાપતિ નામના બે સંબંધીઓ રવિવારના રોજ સંબંધીના ઘરે ગયા હતા. રાત્રિના સમયે બંને બાઈક પર ઘરે આવી રહ્યા હતા.

જ્યારે રસ્તામાં સામેથી આવી રહેલી બાઈક સાથે તેમની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં ચંદન પ્રજાપતિ તેમના સાઢુભાઈ જુગલ પ્રજાપતિ અને બીજી બાઇક પર સવાર જીતેન્દ્ર યાદવ નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવકોને સારવાર માટે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદન પ્રજાપતિ અને જીતેન્દ્ર યાદવનું મોત થઈ ગયું હતું. જ્યારે જુગલ પ્રજાપતિનું સોમવારના રોજ બપોરના સમયે સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જીતેન્દ્રના મૃત્યુના સમાચાર મળતા જ તેની પત્ની બેભાન થઈ ગઈ હતી. જીતેન્દ્રના મૃત્યુના કારણે ત્રણ વર્ષના દીકરાને પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે ચંદન પ્રજાપતિના મૃત્યુના કારણે ચાર બાળકો હોય પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે જુગલ પ્રજાપતિના મૃત્યુના કારણે પાંચ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*