રાજકોટમાં રાત્રે પરિવાર સાથે જમ્યા બાદ સોફા ઉપર બેઠેલા એકની એક દીકરીના પિતાનું મોત…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના આહીર ચોક નજીક રહેતા કારખાનેદાર મગનભાઈ ધરમશીભાઈ ચોવટીયા નામના વ્યક્તિ ગઈકાલે રાત્રે પોતાના ઘરના સોફા ઉપર બેઠા હતા. ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા. પછી પરિવારના સભ્યો મગનભાઈ ને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અહીં સારવાર મળે તે પહેલા તો મગનભાઈનું મોત થઈ ગયું હતું. મગનભાઈનું મોત થતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ એકની એક લાડલી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

વિગતવાર વાત કરીએ તો 46 વર્ષીય મગનભાઈ પોતાના પરિવાર સાથે આહિર ચોક નજીક રહે છે. ગઈકાલે રાત્રે મગનભાઈ 11:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં બેઠા હતા. ત્યારે અચાનક જ કોઈ કારણોસર તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં હાજર ડોક્ટરે મગનભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રાત્રિના સમયે પાન માવો ખાધા બાદ મગનભાઈ સોફા ઉપર બેઠા હતા. ત્યારે અચાનક જ તેઓ સોફા ઉપર ઢળી પડ્યા હતા. ઘટનાને લઈને પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મગનભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

પરંતુ તેમના મોતનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મગનભાઈના મોતનું સાચું કારણ જાણવા માટે તેમના મૃતદેહને ભક્તિનગર પોલીસે માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મગનભાઈના મૃત્યુનો સાચો કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*