લાડલી દીકરીની ડોલી ઊઠે તે પહેલા પિતાની અર્થી ઊઠી..! દીકરીના લગ્નના એક દિવસ પહેલા પપ્પાએ કંઈક એવું પગલું ભર્યું કે…પપ્પાની યાદમાં દીકરીનું હૈયાફાટ રૂદન…

જામનગરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દીકરીના લગ્નના એક દિવસ પહેલા દીકરીના પિતાએ કંઈક એવું પગલું ભર્યું કે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. પિતાએ દીકરીના લગ્નના એક દિવસ પહેલા ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. હજુ તો ગઈકાલે સાંજે લગ્ન ગીત અને માંડવાની રસમ પૂર્ણ થઈ હતી અને આવતીકાલે જાન આવવાની હતી.

દીકરીની ડોલી ઉઠે તે પહેલા પિતાએ ગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર પરિવાર અને ગામના લોકોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જામનગરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડ એ આજરોજ વહેલી સવારે પોતાના મકાનની બાજુમાં ચાલતી એક કન્સ્ટ્રકશન સાઈડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નરોત્તમભાઈ આજરોજ વહેલી સવારે પોતાના પિતાને ચા પીવડાવીને ઘરની બહાર નીકળ્યા હતા. થોડીક વાર પછી એવા સમાચાર મળ્યા કે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી હતી.

નરોત્તમભાઈના મૃત્યુના કારણે ત્રણ દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. નરોત્તમભાઈ પોતાની મોટી દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આવતીકાલે ઘરે જાન આવવાની હતી. ઘરે લગ્ન હોવાના કારણે ચારેય બાજુ ખુશીનો માહોલ હતો.

પરંતુ આ ઘટના બનતા જ લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના હાયાફાટ રૂદનથી વાતાવરણ દ્રવી ઊઠ્યું હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ નરોત્તમભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, નરોત્તમભાઈ ને કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ પણ ન હતી અને અન્ય કોઈ લોકોનું દબાણ પણ તેમના પર ન હતું. છતાં પણ આવા સંજોગોમાં નરોત્તમભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મૃત્યુ થતાં લગ્ન મોંફુક રાખવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*