રાજકોટમાં સુસાઇડ નોટ લખીને 2 બાળકોના પિતાએ ગળાફાંસો ખાઈ લીધો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ખાસ કરીને રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી આવી ઘટનાઓ ખૂબ જ વધારે પડતી બની રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોટડા સાંગાણીમાં એક વ્યક્તિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવી લીધું હતું. તેમને શા માટે આ પગલું ભર્યું તેનું કારણ હજુ પણ અકબંધ છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોની પૂછપરછ કરીને આરંભિક તપાસ શરૂ કરી હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંજયભાઈ ધીરુભાઈ વઘાસિયા હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. સંજયભાઈ ના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સંજયભાઈ કોટડા સાંગાણી ખાતે ગોંડલ રોડ પર પોતાના પરિવાર સાથે રહેતા હતા. સંજયભાઈ અચાનક જ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો સંજયભાઈ ને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પર ડોક્ટરે સંજયભાઈને મૃત જાહેર કર્યા હતા.

ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી. સંજયભાઈ શા માટે આ પગલું ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મૃત્યુ પહેલા સંજયભાઈ એક સુસાઇડ નોટ લખી હતી પરંતુ તેમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં પણ અમુક એવી વિગતો સાંપડી રહી છે કે થોડાક સમય પહેલા તેમના ઘરે ફર્નિચર વેચવાનું હોઇ, અમુક મહિલા સભ્યો ફર્નિચર જોવા આવ્યા હતા અને બાદ કોઈ અજાણ્યા શકશે એવો આરોપ મૂક્યો હતો કે સંજયભાઈ મહિલાની છેડતી કરી છે.

પરંતુ સંજયભાઈનું પરિવાર આ બાબત પર કશું કહેવા માટે તૈયાર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ સંજયભાઈ આ પગલું ભર્યું હતું આ અજાણ્યો વ્યક્તિ કોણ છે તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહેશે સમગ્ર તપાસ પૂર્ણ થઈ ગયા બાદ ઘટનાને લઈને ઘણા ખુલાસાઓ થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*