સમય સમયની વાત છે..! એક સમયે પ્રીતિ અદાણીએ ગૌતમ અદાણીનો ફોટો જોવાની અને લગ્ન કરવાની ના પાડી હતી, પરંતુ એવું તો શું બન્યું કે…

આપણા દેશના બે ઉદ્યોગપતિએ સમગ્ર વિશ્વમાં આપણા દેશનો ડંકો વગાડ્યો છે. જેમાં એક મુકેશ અંબાણી અને બીજા છે ગૌતમ અદાણી. આ બંને હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા રહે છે. અંબાણી પરિવાર વિશે તમે ઘણી અવારનવાર માહિતીઓ સોશિયલ મીડિયા ઉપર સાંભળી હશે. પરંતુ અદાણી પરિવાર લાઈન લાઈટ થી ખૂબ જ દૂર રહે છે.

ત્યારે આજે અમે તમને ગૌતમ અદાણી વિશે એક એવી વાત કરવાના છીએ જે તમે પહેલા ક્યારેય નહીં સાંભળવી હોય.આજે અમે તમને ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીની લવ સ્ટોરી સ્ટોરી વિશે જણાવવાના છીએ. ભાસ્કર દ્વારા લખાયેલા એક પુસ્તક જેનું નામ ગૌતમ અદાણી રી ઇમેજીનિંગ બિઝનેસ ઇન ઇન્ડિયામાં ગૌતમ અદાણીના જીવન વિશે ખૂબ જ માહિતીઓ આપવામાં આવી છે.

આ પુસ્તકમાં ગૌતમ અદાણી અને તેમની પત્ની પ્રીતિ અદાણી ની લવ સ્ટોરી ની પણ માહિતી આપવામાં આવેલી છે. પુસ્તકના આધારે, સૌપ્રથમ પ્રીતિ અદાણીને ગૌતમ અદાણી જરાક પણ પસંદ ન હતા. પ્રીતિ અદાણી જ્યારે ડેન્ટિસ્ટનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ગૌતમ અદાણી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. ત્યારે પ્રીતિ અદાણીના પિતાએ ગૌતમ અદાણી નો ફોટો જોવાનું કહ્યું હતું.

ત્યારે પ્રીતિ અદાણીએ ગૌતમ અદાણીનો ફોટો જોવાની પણ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. ગૌતમ અદાણી સાથે લગ્ન કરવાની પણ તેમને ના પાડી દીધી હતી. પરંતુ પ્રીતિ અદાણીના પિતા સેવંતીલાલને ગૌતમ અદાણી માં કાંઈક ભવિષ્યને લઈને શક્યતાઓને જ્યારે આવતી હતી આથી તેમને પોતાની દીકરી પ્રીતિને સમજાવી હતી. ત્યારબાદ પ્રીતિ ગૌતમ અદાણી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ હતી.

પહેલી મુલાકાત બાદ બંને એકબીજા સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયા હતા. બંનેના લગ્ન થઈ ગયા બાદ ગૌતમ અદાણી પોતાના બિઝનેસના કામકાજમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. લગભગ અઠવાડિયામાં એક બે દિવસ પોતાની પત્ની પ્રિતી સાથે તેઓ સમય વિતાવતા હતા. 1987 માં પ્રીતિ અદાણી અને ગૌતમ અદાણી માતા પિતા બન્યા હતા. તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો જેનું નામ કરણ અદાણી છે.

કરણ અદાણી નો જન્મ થયા બાદ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરાનો જન્મ થયા બાદ ગૌતમ અદાણીએ પોતાના બિઝનેસ સાથે પરિવારના સભ્યોને પણ સમય આપવાનું શરૂ કરી દીધું હતું. આજે ગૌતમ અદાણીએ પોતાનો બિઝનેસ સુધી પહોંચાડી દીધો છે. એક સમયે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીને પણ આજે ગૌતમ અદાણીએ પાછા પાડી દીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*