ઘણા સમયથી દીકરાને વિદેશ જવા માટે વિઝા નહોતા મળતા, માં મોગલની માનતા રાખી અને વિઝા મળી ગયા, જ્યારે દીકરાના માતા-પિતા માનતા પુરી કરવા મોગલધામ પહોંચ્યા ત્યારે…

Published on: 5:32 pm, Fri, 6 May 22

માં મોગલનો મહિમા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે. ત્યારે આજ દિન સુધી તેમણે ઘણા લોકોને પરચા પણ બતાવ્યા છે એટલું જ નહીં પરંતુ માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી તેઓ ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે અને ભક્તો પણ તેમના દુઃખ દૂર કરવા માટે માં મોગલની બાધા લેતા હોય છે.

કહેવાય છે કે માં મોગલ ક્યારેય પણ કોઈનો વાળ વાંકો થવા દેતી નથી અને તેઓ હર હંમેશ ભક્તો નો સાથ આપનારી માતા છે, ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં મોગલે પરચો બતાવ્યો છે અને એક દંપતિ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ એ માં મોગલ ના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા.

કબરાઉ સ્થિત આવેલામાં મોગલ ધામએ મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે આ દંપતીએ તેને માનતા પૂરી કરવા મણિધર બાપુના ચરણોમાં 5000 રૂપિયા અર્પણ કરીને આશિર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે શાની માનતા હતી. ત્યારે દંપતીએ કહ્યું કે અમારા દીકરાને ઘણા સમયથી વિદેશ જવું હતું. પરંતુ તેના વિઝા માટે કામ અટકી પડયું હતું તેથી ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં કોઈક ને કોઈક તકલીફો આડે આવી જતી હતી.

તેથી માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા માની હતી કે જ્યારે વિદેશ જવા માટે વિઝા મળી જશે ત્યારે 5000 રૂપિયા માં મોગલ ના ચરણે અર્પણ કરીશ અને થોડાક જ દિવસોમાં મોગલે પરચો બતાવ્યો અને એ દંપતીની મનોકામના પૂર્ણ થઈ ગઈ અને દીકરા ની બહાર જવા માટે વિઝા મળી ગયા તેથી માતાપિતા માં ખુશીનો પાર ન રહ્યો.

તેઓ તેમની માનેલી માનતા પૂરી કરવા માટે આવેલા માં મોગલ ધામ આવી પહોંચ્યા અને માં મોગલના આશીર્વાદ દીધા. મણીધર બાપુએ આ દંપતીને આશીર્વાદ આપતા 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને ફરી પાછા આપ્યા અને કહ્યું કે 5000 રૂપિયા તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે.

માં મોગલ તો દુઃખ દૂર કરનારી છે એને કોઈ દાન કે ભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમના પર ખૂબ જ શ્રદ્ધા રાખવામાં આવે તો તે અચૂક ભક્તોના દુઃખ દૂર કરે છે તેથી જ તો કહેવાય છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઘણા સમયથી દીકરાને વિદેશ જવા માટે વિઝા નહોતા મળતા, માં મોગલની માનતા રાખી અને વિઝા મળી ગયા, જ્યારે દીકરાના માતા-પિતા માનતા પુરી કરવા મોગલધામ પહોંચ્યા ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*