B.comના 3 વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

હાલમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં B.COMની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિદ્યાર્થિનીનો મોબાઈલ જપ્ત કર્યો છે. માહિતી અનુસાર પોતાનો મૃત્યુ પામેલી દીકરીનું નામ મનીષા હતું તેની ઉંમર 22 વર્ષની હતી.

આ ઘટના જહાંગીરાબાદ વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર મનીષા B.COMમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના શુક્રવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ મનીષા કોલેજમાં પેપર આપવા ગઈ હતી. બપોરે બે વાગ્યે તેને પોતાના પિતાને ફોન કર્યો કે પેપર પૂરું થઈ ગયું છે.

થોડીકવાર પછી તેના પિતા મનીષાને લઈને ઘરે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સાંજે પાંચ વાગ્યાની આસપાસ પડોશીઓએ ફોન કરીને જણાવ્યું હતું કે મનીષા બીમાર છે તેથી વહેલા ઘરે આવી જશો. જ્યારે મનીષાના પિતા ઘરે આવ્યા ત્યારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મનીષાને જોઈ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મનીષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. મનીષાએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મનીષા પોતાની પાંચ બહેનોમાં સૌથી મોટી હતી. દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*