અમદાવાદ શહેરમાં AMTS-BRTSમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર, જાણો વિગતો.

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ની બીજી લહેર હતી થઈ રહી છે. અને મોટાભાગના શહેરોમાં અનલૉક ની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ ઘટતા શહેરમાં BRTS અને AMTS બસ ચાલુ કરવામાં આવી હતી.

હાલમાં અમદાવાદ શહેરમાં 300 જેટલી AMTS અને 125 જેટલી BRTS બસો શહેરમાં દોડે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતી. અમદાવાદ શહેરમાં આ બસ 50% સમતા સાથે રોડ પર દોડશે.

હવે આ ક્ષમતા વધારી દેવામાં આવી છે. આ બસ સેવાઓ શરૂ થતાં જ શહેરમાં અપડાઉન કરતાં નોકરિયાત વર્ગો માટે મુસાફરી કરવા માટે ખૂબ જ સારું પડશે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના થી મૃત્યુના ભોગ બનેલા લોકો નો આંકડો 9997 પહોંચ્યો છે. આજે ગુજરાત રાજ્યમાં 1063 દર્દીઓ કોરોના માં થી મુક્ત થયા છે. રસી ની વાત કરીએ તો ત્યાં સુધીમાં રાજ્યમાં 2,02,64,893 લોકોને કોરોના ની રસી અપાઇ ગઇ છે.

આ ઉપરાંત આજે રાજ્યમાં 2,34,501 લોકોને કોરોના ની રસી આપવામાં આવશે. આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં નવા કોરોના 54 કેસ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. સુરતમાં કોરોના નવા 71 કેસો નોંધાયા છે અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 25 જેટલા કેસો નોંધાયા છે.

વડોદરામાં આજે કોરોના નવા 41 કેસો નોંધાયા છે અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 31 નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના ના નવા 22 અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*