આવતીકાલે આટલા વાગ્યે સૂર્ય નો પડછાયો થઈ જશે ગાયબ, જાણો કેમ?

નભોમંડળમાં શુક્રવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાવા જઇ રહી છે. આવતી કાલે શુક્રવાર ના રોજ ધ ઝીરો શેડો ડેઝ તરીકે ઉજવાશે અને 4 જૂન ના બપોરે 12:49 મિનિટે સૂર્ય માથા પર આવશે અને તેનો પડછાયો બંધ થઈ જશે. જેથી 4 જૂન જીરો શેડો ડે તરીકે રહેશે. ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે છે, તે જગ્યા એ અમુક ક્ષણો માટે પડછાયો અદ્ર્શ્ય થઈ જાય છે જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે.

આપણી પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીએ નમીને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાશક ગતિ દરમિયાન ઉતરાયણની દિશામાં અને દક્ષિણાયન ની દિશામાં ચોક્કસ અંતરે +23.5 કર્કવૃત્ત અને -23.5 મકરવૃત નીચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે.

4 જૂનના રોજ પડછાયો અદ્રશ્ય થતો દેખાશે. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અશાંસ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયન ને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબ રૂપે પડે છે. જામનગરના અંશાશ 22.47 અને રેખાંશ 70.05 – ઇ છે. સ્થાનિક સમયનો તફાવત 49 મિનિટ અને 40 સેકન્ડ નો થાય એટલે જામનગર માં શુક્રવારે 4 જૂને ઝીરો શેડો ડે નો સમય 12.49 કલાક નો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*