નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બાદ સી.આર.પાટીલે લોકડાઉનને લઈને આપ્યું મહત્વનું નિવેદન,શું ગુજરાત માં લાગશે લોકડાઉન?

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને તેમના પત્ની ગંગા પાટીલે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો.જે બાદ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સ્થિતિ સારું હોવાથી લોકડાઉન અંગે સરકારે નિર્ણય કરવાનું સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું. કોરોના નું સંક્રમણ વધતા પેજ પ્રમુખોને પણ જવાબદારીઓ સોંપાઈ હોવાનો અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.

કોઈપણ દર્દી દાખલ હોય અથવા હોસ્પિટલ ની આવશ્યકતા હોય તો પેજ પ્રમુખે મદદ આદેશ કરવા આવ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કેસની સંખ્યા નિયંત્રણમાં હોવાથી લોકડાઉન ની શક્યતાઓ નહીવત્ હોવાનું સીઆર પાટીલે ઉમેર્યું હતું.

લોકડાઉન અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કરવાની રહેશે પણ હાલમાં અનેક સ્થળોએ પથારીઓ મોડી મળવાની સ્થિતિ આવી છે.પણ એક પણ દર્દી પથારી વગર રહ્યાં ન હોવાથી સરકાર ઉપર કાબુ કરવા માટે પણ સી.આર. પાટીલ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11,403 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજ્યા છે અને આ સાથે 4179 દર્દીઓ સાજા થયા છે.

આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 68000 ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 341 લોકો વેન્ટીલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ ફૂલ 1,0439,204 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે વેક્સિનેશન કાર્યક્રમ વધારે ઝડપી બનાવવાના આદેશ પણ આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*