ગુજરાત વિધાનસભામાં ધર્મ પરિવર્તન ને લઈને પસાર થશે આ મહત્વનો કાયદો, વાંચો સંપૂર્ણ અહેવાલ.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમ 2003 ના ગુજરાતના 22 માં અધિનિયમની કલમ માં સુધારો કરાયો છે. આજે આ મહત્વનો વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવશે. ગાંધીનગરથી લવ જેહાદ બિલ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ કરાશે લવ જેહાદ બિલ અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલ 2021 ના નામે બિલ રજૂ કરાશે.બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકવામાં આવશે પ્રતિબંધ અને કોઇપણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો તેને ગુનો નોંધવામાં આવશે.

લગ્ન કરનાર અને કરાવનાર વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી અને સ્ત્રી પક્ષના લોહી સંબંધ ધરાવતા કોઇપણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે આ ઉપરાંત લગ્નમાં મદદ કરનાર ની વિરુદ્ધમાં પણ મોટી કાર્યવાહી થશે.

અને લગ્ન કરાવનાર સંસ્થાને સંગઠનો સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. આ પ્રકારનો ગુનો બિનજામીન પાત્ર રહેશે અને ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે.

સ્ત્રી પક્ષના લોહી સંબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે અને ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થઇ શકે છે.

લવ જેહાદ બીલમાં આરોપી સામે 5 વર્ષ ની કેદ અને 2 લાખ નો દંડ થશે જયારે સગીર SC ST ની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષ ની કેસ અને 3 લાખ નો દંડ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*