એક જ વિસ્તારના 7 યુવકો ગોવિંદ સાગર સરોવરમાં ડૂબી ગયા, ડૂબતા મિત્રને બચાવવા જતા એક પછી એક મિત્રો સરોવરમાં કુદીયા હતા…

Published on: 10:16 am, Tue, 2 August 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. હિમાચલ પ્રદેશના ઉના સ્થિત ગોવિંદ સાગર સરોવરમાં ડૂબી જવાના કારણે 7 યુવકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ યુવકો પંજાબના મોહાલી જિલ્લાના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર આ દર્દનાક લગભગ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગરીબનાથ મંદિર નજીક સરોવરમાં સૌ પ્રથમ એક યુવક તળાવમાં લાગ્યો હતો. તેને બચાવવા છ યુવકો પાણીમાં કુદીયા હતા, પરંતુ તે લોકો પણ તળાવમાં ડૂબી ગયા હતા. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા સાથે યુવકોના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા. આજરોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મળતી માહિતી અનુસાર પંજાબના મોહલીથી 11 યુવકો નૈનાદેવીના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ તમામ યુવકો બાબા બાલનાથના મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા હતા.

લગભગ બપોરે 12:30 વાગ્યાની આસપાસ યુવકો બાબા ગરીબનાથ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન એક યુવક ગોવિંદ સાગર સરોવરમાં સ્નાન કરવા માટે ઉતરે છે. જે યુવક ઊંડા પાણીમાં ડૂબા લાગ્યો હતો. તેને જોઈને અન્ય છ યુવકો તેને બચાવવા માટે સરોવરમાં કૂદી પડ્યા હતા. પરંતુ વરસાદના કારણે સરોવરમાં પાણી વધારે હોવાના કારણે સાથે સાત યુવકો તળાવમાં ડૂબી ગયા હતા.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી તળાવમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં છ યુવકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ડૂબીને મૃત્યુ પામનાર છ યુવકો 16 થી 19 વર્ષની ઉંમરના હતા. જ્યારે એક યુવક 32 વર્ષનો હતો. આ ઘટનામાં તળાવમાં 35 વર્ષીય પવન, 19 વર્ષે રમણકુમાર, 17 વર્ષીય લાલસીંગ, 16 વર્ષીય લખીવીર સિંહ, 14 વર્ષીય અરુણકુમાર, 18 વર્ષીય વિશાલ કુમાર અને 16 વર્ષીય શિવા ડૂબીયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા તમામ યુવકો એક જ વિસ્તારના હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક જ વિસ્તારના 7 યુવકો ગોવિંદ સાગર સરોવરમાં ડૂબી ગયા, ડૂબતા મિત્રને બચાવવા જતા એક પછી એક મિત્રો સરોવરમાં કુદીયા હતા…"

Leave a comment

Your email address will not be published.


*