7 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી : નવસારીમાં નોકરી પર જઈ રહેલી મહિલાને ટ્રકે લીધી અડફેટેમાં, મહિલાનું મૃત્યુ…

Published on: 12:25 pm, Mon, 28 March 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે નવસારી માં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં નોકરી પર જતી 28 વર્ષની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહિલાના મૃત્યુના કારણે સાત વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે.

આ અકસ્માતની ઘટના આજે સવારે બની છે. 28 વર્ષીય ક્રિષ્નાબેન અશ્વિનભાઈ પટેલ વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી પોતાની મોપેડ લઈને જવેલરી કંપનીમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે સાડા આઠ વાગ્યાની આસપાસ કાર બનેલા શેરડીના ક્રિષ્નાબેનની મોપેડને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી.

જબરદસ્ત ટક્કરના કારણે ક્રિષ્નાબેન રોડ પર ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ક્રિષ્નાબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ક્રિષ્નાબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્રિષ્નાબેનના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. સાત વર્ષના બાળકની માતા ગુમાવતાં સિવિલ હોસ્પિટલમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામેલા ક્રિષ્નાબેનના પતિ વેલ્ડિંગ કામ કરે છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "7 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી : નવસારીમાં નોકરી પર જઈ રહેલી મહિલાને ટ્રકે લીધી અડફેટેમાં, મહિલાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*