અમીરગઢ નજીક રાજસ્થાન બોર્ડર પર એક બસ પલટી ખાઇ જતાં સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત, 1 નું મૃત્યુ

Published on: 12:29 pm, Wed, 22 September 21

બનાસકાંઠામાં ગુજરાત-રાજસ્થાન સરહદ પર અમીરગઢ નજીક આજરોજ એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ અમીરગઢ નજીક રોડ પર પુરપાટ ઝડપથી આવતી એક બસ પલટી ખાઇ ગઇ છે. મળતી માહિતી મુજબ રાજસ્થાન તરફથી એક બસ મુસાફરોને લઇને પાલનપુર-અમદાવાદ તરફ જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં અમીરગઢ બોર્ડર પાસે અગમ્ય કારણોસર બસ પલટી ખાઈ ગઈ હતી તે કારણસર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

ઉપરાંત અકસ્માત દરમિયાન બસમાં મુસાફરી કરતા સાત મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને ઇજાગ્રસ્ત લોકોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  અકસ્માતના પગલે રોડ પર લાંબો ટ્રાફિકજામ થયો હતો બોલી છે ટ્રાફિક પણ ખુલ્લો કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત ગઇકાલની વાત કરીએ તો એક ટ્રેલર, દૂધનું ટેન્કર અને બસ વચ્ચે ટક્કર થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા 10થી પણ વધારે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમીરગઢ નજીક રાજસ્થાન બોર્ડર પર એક બસ પલટી ખાઇ જતાં સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત, 1 નું મૃત્યુ"

Leave a comment

Your email address will not be published.


*