ઝડપી ટ્રક ચાલકે સામેથી આવતી રીક્ષાને અડફેટેમાં લેતા સર્જાયો ભયંકર અકસ્માત… રિક્ષામાં સવાર 6 લોકોના એક સાથે દર્દનાક મોત…

ગુજરાત રાજ્યમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ગુજરાતના દાહોદના ગરબાડા તાલુકાના પાટીયાઝાળ ગામે દાહોદ-અલીરાજપુર હાઇવે પર મંગળવારના રોજ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકે સામેથી આવતી રીક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી.

ટ્રકે રીક્ષાને 35 ફૂટ સુધી રોડ પર ઘસડી હતી. આ કારણોસર રિક્ષામાં સવાર એક જ પરિવારના 4 પુરુષો સહિત 1 મહિલા અને એક બાળકનું કરુણ મોત થયું છે. એટલે કે આ ઘટનામાં કુલ છ લોકોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા છે.

સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત આટલો ભયંકર હતો કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી.

જાણવા મળી રહ્યું છે કે એક શ્રમિક પરિવારને કોર્ટમાં મુદત હોવાના કારણે પરિવાર રાજકોટથી બસ દ્વારા ગરબાડા આવ્યો હતો. પછી તેઓ અહીંથી રિક્ષામાં ઘરે જતા હતા. ત્યારે ઘરથી માત્ર બે કિલોમીટર દૂર રસ્તામાં તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં એક સાથે છ લોકોના મોત થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના પરોઢના 7 વાગ્યાની આસપાસ બની હતી.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક નજીકના ખાડામાં પલટી ખાઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલક અને ટ્રક ચાલક બંને ઇજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*