અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા – પાંચેય યુવકોના કરૂણ મૃત્યુ…

Published on: 5:59 pm, Sat, 26 March 22

અમરેલીમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં આજરોજ બપોરે 1 વાગ્યાની આસપાસ નાહવા પડેલા પાંચ યુવકો સરોવરમાં ડૂબી ગયા છે. આ ઘટના બનતાં ભારે અફડા-તફડી મચી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

તંત્ર દ્વારા યુવકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. યુવકોના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ બપોરે 5 યુવકો એક વાગ્યાની આસપાસ લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન પાંચેય યુવકો નહાતી વખતે ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

સરોવરમાંથી પાસે યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સરોવરમાં ડૂબવાના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે.

આ ઘટનામાં 16વર્ષીય વિશાલભાઈ મનીષભાઈ મેર, 16 વર્ષીય નમન ભાઈ અજય ભાઈ ડાભી, 16 વર્ષીય રાહુલ પ્રવીણભાઈ જાદવ, 17 વર્ષીય અમિત ભાવેશભાઈ ગળથીયા અને 18 વર્ષીય હરેશભાઈ મથુરભાઈ મોરીનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા પાંચ યુવકો લાઠીના રહેવાસી હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા – પાંચેય યુવકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*