5 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી : પાલીતાણામાં એક વકીલે સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:29 pm, Sun, 26 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી છે. ત્યારે હાલમાં પાલીતાણા નાનીમાળ ગામના એક યુવાને સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ કાંતિભાઈ પોપટભાઈ ભેડા હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. ગઈકાલે કાંતિભાઈ પોતાના ઘરના બીજા રૂમમાં એકલા સુવા માટે ગયા હતા.

સવારે મોડે સુધી પણ કાંતિભાઈ બહારના આવ્યા, તેથી પરિવારના લોકોએ રૂમની તપાસ કરી હતી. ત્યારે પરિવારના લોકોને રૂમમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં કાંતિભાઈ મળી આવ્યા હતા. ઘટના બનતા જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે પાલીતાણામાં માનસિંહજી હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્યુ પામેલા કાંતિભાઈ વ્યવસાય પોતે એડવોકેટ હતા. કાંતિભાઈ પાલીતાણા વિરપુર રોડ ઉપર પોતાની ઓફિસ રાખીને વકીલાતનું કામ કરતા હતા. કાંતિભાઈના મૃત્યુના કારણે એક પાંચ વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ કાંતિભાઈના પરિવાર અને ગામલોકોમાં માતમ છવાઇ ગયો હતો.

કાંતિભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. કાંતિભાઈ તેમના પરિવારમાં સૌથી વધારે ભણેલા હતા. પરિવાર પણ વિચારમાં છે કે કાંતિભાઈ આ પગલું શા માટે ભર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "5 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી : પાલીતાણામાં એક વકીલે સાડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*