રામદેવ પીર મહારાજના દર્શન કરીને પરત ફરી રહેલા 5 લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 11:56 am, Tue, 21 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં એક જ ક્ષણમાં આખો હસતો ખીલતો પરિવાર વિખરાઈ જતો હોય છે.ત્યારે શુક્રવારના રોજ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર કારમાં સવાર વિજાપુર તાલુકાના સેનમા-રાવત સમાજના અગ્રણીઓ શુક્રવારના રોજ રાત્રે રાજસ્થાનના રામદેવરાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને બાલી નજીક અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર સ્ટિયરિંગ લોક થઇ જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતના પગલે મંડાલી અને ખરોડ ગામના બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર સેનમા-રાવત સમાજના સમૂહલગ્નનું આયોજન વિજાપુર તાલુકાના ખરોડા ગામે કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન પૂર્ણ થઇ ગયા બાદ સમૂહલગ્નના આયોજકો અને સમાજના અગ્રણીઓ રાજસ્થાન રામદેવરા ખાતે રામાપીર મહારાજના દર્શન કરવા માટે ગયા હતા.

દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાનના પાલી પાસે ફોરલાઈન હાઇવે પર અચાનક સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું. આ કારણોસર કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કાર ડિવાઇડર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે 37 વર્ષીય શૈલેશ રેવાભાઇ અને 35 વર્ષીય સુનિલ સેંધાભાઈ નામના બે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

શનિવારના રોજ ગામમાં અંતિમયાત્રા નીકળી હતી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પ્રવીણ મણીલાલ, કિરણ કાંતિભાઈ અને જશુ કાંતિલાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામદેવ પીર મહારાજના દર્શન કરીને પરત ફરી રહેલા 5 લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*