મુસાફરોથી ભરેલી બસ અચાનક જ પલટી ખાઈ જતા સર્જાયો ભયંકર અકસ્માત… 4 લોકોના મોત, 32 લોકો ઈજાગ્રસ્ત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બસ પલટી ખાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 4 મુસાફરોના મોત થયા છે.

જ્યારે 32 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ થી દુર્ગા જતી પેસેન્જર બસ અચાનક જ રસ્તામાં બેકાબુ થઈ ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.

ઘરના બન્યા બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર મુસાફરોમાંથી એક મુસાફરનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

જ્યારે ત્રણ મુસાફરોનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અચાનક આજે બસ ચાલકે બસ પરથી કાબુ કેવી રીતે ગુમાવ્યો તેની કોઈપણ માહિતી સામે આવી નથી. ઘટનાને લઈને હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*