કોરોના નું સંક્રમણ વધતા ગુજરાત રાજ્યના આ શહેર માં 4 દિવસ નું લોકડાઉન.

Published on: 5:34 pm, Sat, 17 April 21

રાજપીપળા ના વેપારીઓ અને તંત્ર વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી જેમાં મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપળા નું બજાર બંધ રહેશે.રાજપીપળામાં 4 દિવસ નું લોકડાઉન લગાવવાનો નિર્ણય કરાઈ ગયો છે.

રાજપીપળા ના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી.મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપળા નું બહાર બંધ રહેશે.કોરોના નું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યુ હોવાથી તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના ની ચેઇન તોડવા માટે 4 દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય થયો છે.24 એપ્રિલ ની બેઠકમાં આવનારા દિવસો માટે ફરી નિર્ણય લેવામાં આવશે.

નર્મદામાં જિલ્લામાં કોરોના ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઇને જિલ્લાના નવા 20 વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે.રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં વેન્ટીલેટર ની સુવિધા પ્રાપ્ત થશે.

દર્દીઓને સારવાર અર્થે વડોદરા સુધી જવું પડશે નહીં.અગાઉ સ્થાનિક સાંસદ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

અને આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાવાયરસ ના કારણે થયા છે. ગઇકાલે કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.

તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના નું સંક્રમણ વધતા ગુજરાત રાજ્યના આ શહેર માં 4 દિવસ નું લોકડાઉન."

Leave a comment

Your email address will not be published.


*