નવસારીના 25 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:23 pm, Tue, 8 March 22

આજકાલ લોકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક લોકો અગમ્ય કારણોસર અને કોઈના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં નવસારીના એક 25 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલો યુવાન સુરતની એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરતો હતો.

તેનું નામ હાર્દિક પટેલ હતું. રવિવાર સાંજે તેને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો.

મળતી માહિતી મુજબ નવસારીના શાંતિવન-1 સોસાયટીમાં આ ઘટના રવિવારના રોજ રાત્રીના સમયે બની હતી. હાર્દિક બે ભાઇઓમાં સૌથી મોટો હતો તે સુરતની એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો.

રવિવારના રોજ સાંજના સમયે હાર્દિકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બની ત્યારે હાર્દિકના માતા-પિતા તેના મામાના ઘરે ગયા હતા. ઘટનાની જાણ થતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાર્દિકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું એની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત હાર્દિક પાસેથી કોઇપણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવસારીના 25 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*