ભણતરના ટેન્શનમાં 17 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:32 pm, Fri, 18 February 22

પોરબંદરમાં એક 17 વર્ષના બાળકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના રાવલીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સુતારવાડા માં દુકાન ધરાવતા વેપારીના પુત્ર એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ભણતરના ટેન્શનમાં બાળકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા રાજેશભાઈ રૂધાણીના એકના એક 17 વર્ષીય પુત્ર પાર્થ ઘરે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર રાજેશભાઈ સુતારવાડા વિસ્તારમાં ખોળ કપાસની દુકાન ચલાવે છે. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને રાજેશભાઈ ભાંગી પડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલો પાર્થ ધોરણ-12માં સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

હાલમાં શાળામાં પરીક્ષા ચાલુ હતી. પરીક્ષામાં પાર્થના પેપર નબળા ગયા હતા. જેથી પાર્થને ભણવાનું ટેન્શન વધી ગયું હતું અને આ કારણોસર પાર્થે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું તેવું જાણવા મળી રહ્યું છે.

પાર્થે જ્યારે ગળાફાંસો ખાધો ત્યારે ઘરે કોઈ ન હોતું. પાર્થના પિતા દુકાને હતા અને તેની માતા ગામ હતી. પાર્થના મૃત્યુના કારણે રાજેશભાઈ પોતાનો એકનો એક સંતાન ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભણતરના ટેન્શનમાં 17 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*